Published On Sep 19, 2024
જીવની જાત્રા નું ભજન (કીર્તન લખેલું છે) @Gondaliya.Bhavika શ્રાદ્ધ ના કીર્તન /શ્રદ્ધાંજલી
જીવને જાવું છે જાત્રા કરવા રે
જીવડો સંઘમાં ભળી જાય જીવને....
સંઘ મારો મથુરામાં જઈ ઉતર્યો રે
મથુરામાં જમનાજીના ઘાટ જીવને... જમનાજી માં નાતા પાતક જાય છે રે
દર્શન મોહન રાય ના થાય જીવ ને...
સંઘ મારો ગોકુળ માં જઈ ઉતર્યો રે
ગોકુળ તીર્થ કેરા ધામ જીવને...
ગોકુળ નંદલાલા જીના ધામ છે રે
દર્શન કૃષ્ણ ભગવાન ના થાય જીવ ને....
જીવડો રમણ રેતીમાં લેટિયો રે
લેટતા ભવના પાત ક જાય જીવને..
સંઘ મારો અયોધ્યામાં જઈ ઉતર્યો રે
અયોધ્યા સરયૂ નદીના ઘાટ જીવને...
સરયું જી માં નાતા પાતક જાય છે રે
દર્શન સીતારામ ના થાય જીવ ને...
સંઘ મારો દ્વારિકા માં જે ઉતર્યો રે
દ્વારિકામાં ગોમતીજી ના ઘાટ જીવન...
ગોમતીજીમાં નાતા પાતક જાય છે રે
દર્શન રણછોડરાય ના થાય જીવ ને...
સંઘ મારો હરિદ્વારમાં જઇ
ઉતર્યો રે
હરિદ્વારમાં ગંગાજીના ઘાટ જીવને..
ગંગાજી માં નાતા પાતક જાય છે રે
જીવના મોક્ષના દ્વાર ખૂલી જાય જીવને...
સંઘ મારો સત્સંગ મંડળ માં જઇ ઉતર્યો રે
સત્સંગ ભક્તિ કેરા ધામ જીવને..
સત્સંગ કરતા પાતક જાય છે રે
જીવડો ભવસાગર તરી જાય જીવને...
જીવ ની જાત્રા જે કોઈ ગાય છે રે
વાસ એનો વૈકુંઠમાં જઈ થાય જીવને..