Published On Apr 1, 2024
2nd Annual function
Dated: 29/03/2024
At: Ipcowala Hall, Nadiad
દ્વિતીય વાર્ષિક ઉત્સવ ઉજવાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને મહંત પૂ. રામદાસજી મહારાજ ના નેતૃત્વ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નો દ્વિતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.
" તાજેતરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું નિર્માણ અને વસુદેવ કુટુંબકમ ની ભાવનાથી " ધર ઘર મેં હે રામ " ની થીમ ઉપર આ ઉત્સવ ઉજવાયો. નાના બાળકો નર્સરી થી ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓને ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર ની સમજ સાથે 106 બાળકોએ શ્રી રામના પાત્રો, ચોપાઈ, નૃત્ય, વાજિંત્ર વાદન , જેવા પરફોર્મન્સ આપ્યા હતા . તપોવન ના ડાયરેક્ટર પૂ. સત્ય દાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરી તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે મહંત પૂજ્ય રામદાસજી મહારાજ ના આશીર્વાદ સંભળાયા હતા. સંસ્થાના માનદ શૈક્ષણિક સલાહકાર ડો. પ્રણવ દેસાઈએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ તેમજ ભવિષ્યની પ્રવૃત્તિ વિશે જાણકારી આપી હતી. તેમજ પૂ. નિર્ગુણદાસજી મહારાજ, પૂ. મોરારીદાસજી મહારાજ , નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ ,ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ ના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સમગ્ર કાર્યક્રમ સંસ્થાના વહીવટ કરતા નગીનભાઈ પટેલ, વિરલ શાહ, સંજયભાઈ શાહ, પ્રિન્સિપાલ જૈમીની પટેલ દ્વારા આયોજિત કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ , વિદ્યાર્થીઓ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.