વીરમદેવ પુછે રે રામાપીર ને || કયોને વીરા પાઠ નાં પ્રમાણ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
97K subscribers
38,517 views
399

 Published On Sep 2, 2024

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
__________________ કિર્તન ________________
‌‌ વિરમદેવ પૂછે રે રામાપીર ને
કયોને વીરા પાટના પ્રમાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
બારબીજનો પાટ વાલે માંડ્યો
બાર બાર ધરીયા વાલે રૂપરે વિરમદેવ પૂછે રે રામાપીરને
પેલો પાટ કોણે વીરા માંડ્યો
એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીરને
પેલો પાટ પ્રહલાદ રાયે માંડ્યો
એના સંગે રત્નાવલી નાર રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
પેલો પાટ સોના કેરો માંડ્યો
તેની ગાદીએ આવ્યા હતા નારાયણ રે વિરમદેવ પૂછે રે રામાપીરને
ગણેશદેવ વાયક એના ફેરવે
પાંચ કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
બીજો પાઠ કોણે વીરા માંડ્યો
એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
બીજો પાટ હરીચંદ્ર એ માંડ્યો
એની સંગે સતી તારામતી નાર રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
બીજો પાઠ રૂપા કેરો માંડ્યો
એને ગાદીએ આવ્યા છે મહાદેવ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
સુરજદેવ વાયક એના ફેરવે
સાત કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ત્રીજો પાઠ કોણે વીરા માંડ્યો
એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ત્રીજો પાટ ધર્મરાજાએ માંડ્યો
એને સંગે સતી દ્રોપદી નાર રે વિરમદેવ પૂછે રે રામાપીરને
ત્રીજો પાટ ત્રાંબા કેરો માંડ્યો
એની ગાદીએ આવ્યા છે મહાદેવ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
હનુમાન જતી વાયક એના ફેરવે
નવ કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ચોથો પાટ કોણે વીરા માંડ્યો
એમાં કેટલા નર ગયા છે નિર્વાણ અરે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ચોથો પાઠ બલિરાજાએ માંડ્યો
એની સંગે વિદ્યાવલી નાર રે વિરમદેવ પૂછે રે રામાપીરની
ચોથો પાઠ માટી કેરો માંડ્યો
એની ગાદીએ આવ્યા છે વામન દેવ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ભૈરવ જતી વાયક એના ફેરવે
12 કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
પાંચમો પાઠ કોણે વીરા માંડ્યો
એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
પાંચમો પાઠ જેસલપીરે માંડ્યો
એની સંગે સતી તોરલ ના રે વિરમદેવ પૂછે રે રામાપીરને
પાંચમો પાઠ ચોખા કેરો માંડ્યો
એની ગાદીએ આવ્યા છે રામાપીર રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
ખીમડીયો કોટવાળ વાયક ફેરવે
સંતો ભક્તો ગયા છે નિર્વાણ રે વિરમદેવ પૂછે રે રામાપીર ને
આ છે વીરા પાટના પ્રમાણ રે રામાપીર કહે છે વિરમદેવને

show more

Share/Embed