Published On Jan 30, 2020
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ઘ્વારા તારીખ:૧૯ જાન્યુઆરી ૨૦૨૦,રવિવારના રોજ,સાંજે ૫-૪૫ કલાકે,જે.બી.ઑડિટોરિયમ,એ.એમ.એ,અમદાવાદ ખાતે'ગુજરાતી હાસ્યસાહિત્ય વંદના'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના પ્રારંભમાં ગાયક કલાકારશ્રી અરવિંદ બારોટે પ્રાર્થના તથા આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીએ હાસ્યગીતો પ્રસ્તુત કર્યા.આ પ્રસંગે સાવરકુંડલા ખાતે ૧૦૦%નિઃશુલ્ક આરોગ્ય સેવા કરતી શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી.'ભદ્રંભદ્ર'થી'મોજમાં રે'વું રે'સુધીની હાસ્યસફર વિશે જાણીતા સાહિત્યકારશ્રી હર્ષદ ત્રિવેદીએ અને મારી હાસ્યરચનાઓ અને હું વિશે હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું.આ સાથે અમેરિકાસ્થિત કવિ નટવર ગાંધી અને કવયિત્રી પન્ના નાયક ઘ્વારા હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગર લિખિત પુસ્તક'ત્રણ અઠવાડિયાં અમેરિકામાં'નું વિમોચન કરવામાં આવ્યું.રતિલાલ બોરીસાગરના લેખોમાંના અમુક પ્રસંગોની જાણીતા કલાકારશ્રી અર્ચન ત્રિવેદી,જિગીષા ત્રિવેદી અને બિંદુ ઉપાધ્યાય-કડવે એ નાટ્યાત્મક હાસ્ય-મંચન કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે કર્યું.અને હાસ્યસ્થ વિનોદ ભટ્ટના અધ્યક્ષીય વક્તવ્યમાં શ્રી રઈશ મનીઆરે સ્વર્ગમાંથી વિનોદ ભટ્ટે મોકલેલ સંદેશો પ્રસ્તુત કર્યો.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by om communication (Manish Pathak)
MO-09825046684.
E-mail : omcomunicat[email protected]
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
સંસ્કૃતપર્વ વાગ્માધુરી ૨૦૧૯ :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
કવિસંમેલન | Kavi Sammelan :
• કવિસંમેલન | Kavi Sammelan