Published On Aug 24, 2024
સદભાવના વિદ્યામંદિર રખિયાલ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.
દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી સદભાવના વિદ્યામંદિરમાં ધામધૂમપૂર્વક શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થી ભાઈ બહેનો, તેમજ ઉપસ્થિત વાલીશ્રીઓએ ભગવાન શ્રી કૃષ્ણની સમૂહ આરતી ઉતારી. પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણ બનેલ શાળાના વિદ્યાર્થી પટેલ કુલદીપ પ્રવિણભાઈ દ્વારા મટકી ફોડી ચોકલેટનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. બધાએ ગરબા ગાઈ રંગે ચંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
show more