Published On May 27, 2024
૧૯૬૦માં સાવરકુંડલામાં જન્મેલા કવિ સંજુ વાળા ગુજરાતી કવિતાનો એક બુલંદ અવાજ છે. એમની સર્જનયાત્રાનો પ્રારંભ ૧૯૯૦માં થયો અને ગીત, ગઝલ, અછાંદસ જેવા અલગ અલગ કાવ્ય પ્રકારોના સર્જનમાં તેઓ આજ પર્યંત સક્રિય છે. એમના કાવ્યસંગ્રહોને ગુજરાતી સાહિત્યનાં કેટલાંક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં જયંત પાઠક એવોર્ડ, કવિ શયદા એવોર્ડ, ભાનુપ્રસાદ પંડ્યા પુરસ્કાર, દર્શક સાહિત્ય સન્માન, રમેશ પારેખ પુરસ્કાર, કવિ શ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક વગેરેનો સમાવેશ થાય છે. અહીં કવિ પોતાનાં સર્જનો પૈકી કેટલીક પ્રતિનિધિ રચનાઓ પ્રસ્તુત કરે છે.
show more